રાજ્યમાં હૉસ્પિટલો માથે જાણે કે આગની ઘાત બેસી ગઈ હોય તેમ એક પછી એક હૉસ્પિટલોમાં આગની ઘટના સામે આવી રહી છે. દરમિયાન આજે ભરબપોરે અમદાવાદ શહેરની વધુ એક હૉસ્પિટલ આગની લપેટમાં આવી ગઈ હતી. અમદાવાદના બારેજા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આગ લાગતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ માધવસિંહ સોલંકી વિશે એક નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીએ લગભગ એક સદીનો ઇતિહાસ રચ્યો છે. માધવસિંહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. અમિત શાહ ઉત્તરાયણના પર્વ પર અમદાવાદ આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં પોતાના સંસદીય વિસ્તારના કાર્યકરો સાથે કરે છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ આવી શકે છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જે મુજબ ચાલુ વર્ષે નવી શરૂ થયેલી અને જુની સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. બોર્ડ ૧૫મી બાદ પરીક્ષા ફોર્મ ભરાવવાનું શરૂ થનાર છે ત્યારે સ્કૂલોએ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. આજે સ્કૂલોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. જ્યારે ૧૧મીથી […]
સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જાેખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને જીપીસીબીને નોટિસ ફટકારી છે. એનજીટી નોટિસ ફટકારતા જીપીસીબીએ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરી દીધો છે. આ તપાસ રિપોર્ટમાં કંપનીની ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું […]
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, સીએમ વિજય રૂપાણીએ પાટણ જિલ્લામાં ૨૨૩ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે પાણી વગર વિકાસ શક્ય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. આ માટે પાણીના સ્ત્રોત ઉભા કરીને નેવાંના પાણીને મોભે ચડાવીને પણ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડયા છે. રાજ્યમાં […]
કોરોનાકાળમાં પણ ઉત્તરાયણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણને લઈને ૧૦૮ ઈમરજન્સી સેવા પણ લોકોની સેવામાં સજ્જ કરી દેવામાં આવી છે. ચાલું વર્ષે ઉત્તરાયણનો એટલો ક્રેઝ નથી છતાં પણ ઈમરજન્સી કેસમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને લઈને રાજ્ય સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવામાં ૬૨૨ એમ્બ્યુલન્સ અને ૪ હજારનો સ્ટાફ ખડેપગે રહેશે.પક્ષીઓ […]
કોરોના કાળમાં તમામ તહેવારોની જેમ ઉત્તરાયણની ઉજવણી અંગે પણ અસમંજસની સ્થિતિ ઊભી થઇ હતી, ત્યારે આજે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું છે. ઉત્તરાયણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ હાઇકોર્ટે નકારી હતી. સાથે જ સરકારે ૧૩ મુદ્દાનો પરિપત્ર કરવાની ખાતરી આપી છે. જેનો કડક અમલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.રાજ્યમાં કોરોનાના કેસો ઘટી […]
દીવ માં નવા એસ.પો. તરીકે ૨૦૧૬ ની બેંચ નાં અનુજકુમાર ની નિયુક્તિ થઇ અને એસ.પી. હરેશ્વર સ્વામી ની દાદરાનગર હવેલી પ્રદેશ માં બદલી થતા પોલીશ હેડ કવાટર માં સન્માન અને વિદાઈ સમાંરભ કાર્યક્રમ યોજાયોઆ કાર્યક્રમ બૂકે થી સ્વાગત બાદ પી.આઈ.પંકજ ટંડેલે શાબ્દિક સ્વાગત બાદ એસ.પી.હરેશ્વર સ્વામી ની આસી.કમાન્ડેડ IRBN ભરત વાજાં કોસ્ટેબલ SHO દીપક વાજાં […]
પાંચ કલાકમાં ટેસ્ટનો રીપોર્ટ મોબાઇલમાં મળી જશે, એરપોર્ટ પર ટેસ્ટ માટે એક ખાનગી કંપનીને કામગીરી સોંપાઈ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર જ મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટની સુવિધા મળી રહેશે. જેના કારણે એરપોર્ટ પરથી વિદેશ જતા અલબત્ત કનેક્ટીંગ મુસાફરોને ઓન ધ સ્પોટ ટેસ્ટ કરવાની સેવા મળતા ઘણી રાહત થશે. મહારાષ્ટ્ર સરકારે અમદાવાદ સહિત ગોવા, રાજસ્થાન, દિલ્હીથી […]
Recent Comments