Home Archive by category ગુજરાત (Page 1550)
ગુજરાત

રૂપાલા બોલ્યા- આ ખેડૂત આંદોલન સરકાર વિરોધી છે

કૃષિ કાયદાના સમર્થનમાં રાજ્યમાં આજથી ભાજપ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટના પડધરીમાં આયોજિત ખેડૂત સંમલેનમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, કૃષિ કાયદાનો કેટલા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સરકાર નવા કાયદા મુદ્દે ખેડૂતો સાથે
ગુજરાત

ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનને કારણે રાજ્યમાં વધશે ઠંડી હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવેઃ હવામાન વિભાગ

ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે. બુધવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં આઠ ડિગ્રી સેલ્સિયશ નોંધાયુ હતું. આ ઉપરાંત આજે ગાંધીનગરમાં ૧૫ અને અમદાવાદમાં ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા અઠવાડિયાથી તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૦ […]
ગુજરાત

ઉત્તરવહી ૬ જાન્યુઆરી સુધી જમા કરાવવાની રહેશે ધોરણ ૩થી ૮ની ૩૦ અને ૩૧ ડિસેમ્બરે એકમ કસોટી યોજાશે

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩થી૮માં લેવાનારી એકમ કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે.આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા ૩૦ અને ૩૧મી ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. આ અગાઉ વિભાગ દ્વારા ૪ એકમ કસોટી યોજવામાં આવી છે. ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે.અત્યાર સુધી શિક્ષણ વિભાગ […]
ગુજરાત

સુરત જિલ્લાના બારડોલી ખાતે કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલનને સંબોધિતકરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

ઐતિહાસિક કૃષિ સુધારાઓ અંગે ખેડૂતોને ભ્રમિત કરીને, દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાના બદઈરાદા સાથે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહ્યા છે, તે ખૂબ દુઃખદ બાબત છે. સી.આર.પાટીલ સત્તા વગર અધમુઈ બનેલી કોંગ્રેસ અને અન્ય વિપક્ષો અંગત સ્વાર્થ માટે અન્નદાતા એવા ખેડૂતોને પણ નથી બક્ષી રહ્યા તે શરમજનક છે. સી.આર.પાટીલ કોંગ્રેસ એવા વહેમમાં […]
ગુજરાત

ફાયર સેફ્ટીના અમલ મામલે ગુજરાત હાઈકોર્ટના રાજ્ય સરકારને વેધક સવાલો ફાયર સેફ્ટી એનઓસી વિના બી.યુ.પરમિશન કઈ રીતે અપાય છે?

રાજ્યમાં સતત બની રહેલી આગ દુર્ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટીના અમલીકરણ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા છે. હાઈકોર્ટે સવાલો કર્યા કે, જાે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોય અને હોસ્પિટલમાં ના હોય તો શું થાય? બિલ્ડીંગમાં હોસ્પિટલની પરવાનગી કઈ રીતે અપાય છે? બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી […]
ગુજરાત

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનું જાેર વધ્યુંઃ નલિયામાં લઘુતમ તાપમાન ૫ ડીગ્રી નોંધાયુ

રાજ્યમાં માવઠા બાદ હવે ધીમે ધીમે ઠંડીનું જાેર વધી રહ્યું છે. સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છના નલિયામાં કોલ્ડ વેવ રહેશે. આ દરમિયાન કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત સાથે નલિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન ઘટીને ૫ ડીગ્રી નોંધાયું છે. એટલે કે બે દિવસમાં નલિયાનું […]
ગુજરાત

સુરતમાં એટીએમમાં છેડછાડ કરી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગના બે ઇસમો ઝડપાયા

સુરતમાં વિવિધ વિસ્તારમાં બેન્કના એટીએમમાં છેડછાડ કરી લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. સુરતમાં બે માસ પહેલા કેનેરા બેંકના ચાર એટીએમમાંથી ૨૧ લાખ રૂપિયાની ચોરી કરનાર હરિયાણાની ટોળકીના બે સાગરિતો ઝડપાયા છે. આ સાથે પોલીસે આરોપી હનીફ સૈયદ અને ઔસાફ સૈયદ પાસેથી ૪ ડેબિટ કાર્ડ, ૨ મોબાઈલ,રોકડ ૮૦ […]
ગુજરાત

લવ-જેહાદનો કાયદો બનાવવાને લઇ મનસુખ વસાવાનો મુખ્યમંત્રીને સ્ફોટક પત્ર ‘રાજ્યમાં આદિવાસી પટ્ટીની યુવતીઓ વેચાય છે’

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસી પટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના ઝ્રસ્ વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યુ છે, ત્યારે […]
ગુજરાત

સુરત પીએસઆઈ આપઘાત કેસઃ પતિના ૩ મહિલાઓ સાથે શારીરિક સંબંધો આવ્યા બહાર

સુરત અમિતા જાેષી કેસમાં કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધી મહિધરપુરા પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે. પિયરિયાએ પતિ વૈભાવના ૩ મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપો કરતાં પોલીસે તે દિશામાં કેન્દ્રિત કરી આરોપીઓની મોબાઈલ કોલ ડિટેઈલ્સ મેળવવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા બાબુભાઈ […]
ગુજરાત

ફ્રંટલાઈન કોરોના વોરિયર્સના સંતાનોના ડિજિટલ શિક્ષણ માટે સહાયની સરવાણી વહી : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા

કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી પડેલી આપદામાં મદદરૂપ બનવા સ્વેચ્છાએ શારીરિક અને આર્થિક રૂપે સેવા સુશ્રુષાનો ધોધ વહાવ્યો છે.હાલ પણ કોરોનાની વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં C.S.R.પ્રવૃતિઓ એટલે કે કોર્પોરેટ સોશયલ રીસ્પોન્સીબિલીટી (સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ)