Home Archive by category ગુજરાત (Page 2)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે […]Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં અત્યારે લાખો બાળકો ઉત્સાહ સાથે નવા સત્રની શરૂઆત કરી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાની વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ પ્રવેશોત્સવમાં સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહેતા, બાળકોના સર્વાંગી અને Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં પ્રારંભ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના દ્વિતીય દિવસે, ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-૧ અને ૯ ના કુલ ૧૦૯ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ અંતર્ગત આજે આંગણવાડીના ૨૦, બાલવાટિકાના ૩૭ અને ધોરણ-૧ તથા ૯ ના ૫૩ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં નવા શૈક્ષણિક સત્રમાં જોડાયા હતા. આ અવસરે શિક્ષણનું Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ દ્વારા કરવામાં આવેલ યજ્ઞની રક્ષા, અહલ્યા ઉદ્ધાર અને શ્રીરામ-જાનકી વિવાહનું અત્યંત ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું. કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવીને રાક્ષસોનો સંહાર કર્યો. Continue Reading
ગુજરાત
મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાશ્રીઓને મહોરમના જુલૂસ, તાજીયાના રૂટ્સ પર […]Continue Reading
ગુજરાત
ગુજરાતના બાળકોમાં રહેલી નવસર્જનની શક્તિને પ્રોત્સાહન આપવા અને તેમના વિચારોને બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) તરીકે વિકસાવવાના હેતુથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) દ્વારા ‘કિડનોવેશન’ (Kidnovation) નામનો અનોખો પ્રોજેક્ટ આજથી (23 જૂન) શરૂ કરવામાં આવી રહ્યો છે. આજે શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની 87મી પુણ્યતિથિ પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના દિશાનિર્દેશોને Continue Reading
ગુજરાત
રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (School on Wheels) ‘રણશાળા’ પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના Continue Reading
ગુજરાત
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ એવા વાસણા-બેરેજના આધુનિકીકરણની કામગીરી માત્ર ૩૫ દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ હેઠળ કાર્યરત યાંત્રિક શાખા દ્વારા રૂ. ૧૦.૧૫ કરોડના ખર્ચે ૧૯ નવા દરવાજા નાખવાનું અને ૧૦ ગેટનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સાબરમતી નદીમાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદ સૌ૨ાષ્ટ્ર પટેલ સમાજ-મણીનગ૨ (અમદાવાદ) ના ૩૪ માં શૈક્ષણિક પ્રોત્સાહન પુરસ્કા૨ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ સંસ્થાના પ્રમુખશ્રી ૨જનીભાઈ એ. ૨ાજપ૨ા તથા કારોબારી ટ્રસ્ટીશ્રીઓના અથાક પ્રયાસોથી ખૂબજ સફળ રીતે સંપન્ન થયેલ. આ કાર્યકમના અધ્યક્ષસ્થાને શ્રી બી.એલ.૨ાજપ૨ા (સ્થાપક ટ્રસ્ટીશ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ-ટીબી) તેમજ મુખ્ય મહેમાન ત૨ીકે શ્રી કૌશીકભાઈ વેકરીયા Continue Reading
ગુજરાત
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના બીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામના જન્મોત્સવ, બાળપણ અને સંસ્કારોની મહિમાનું અત્યંત ભાવવાહી વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્રેષ્ઠિ યજ્ઞ ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ પરંપરાના મહત્વને દર્શાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જન્મથી તો દરેક મનુષ્ય માત્ર Continue Reading