સબરીમાલા તીર્થ યાત્રા પર જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓએ આજથી દર્શન કરતા પૂર્વે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આ આદેશ કેરળ હાઈકોર્ટે તેમજ રાજ્ય સરકારે આપ્યો છે. શ્રદ્ધાળુઓને મંદિર પહોંચવા અગાઉ પોતાની સાથે નેગેટિવ ટેસ્ટનું સર્ટિફિકેટ રાખવું પડશે. દરમિયાન ત્રવણકોર દેવસ્યમ બોર્ડના મતે આ
રિપબ્લિક ડે અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા લગભગ ૧૫૦ સૈનિકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સેફ બબલ પર મોકલતા પહેલા આ સૈનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં કેટલાક પોઝીટીવ મળી આવ્યા છે. મીડિયાનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યુ છેકે, લગભગ બધા જ એસિમ્પ્ટોમેટિક છે. પોઝીટીવ મળેલા સૈનિકોને દિલ્હી કેન્ટોનમેન્ટમાં ક્વોરેન્ટાઈન […]
તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસે અમિત શાહ અસમના ગુવાહાટી પહોંચ્યા છે. તેમણે અહીં અસમમાં વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીં. આ દરમિયાન ગૃહમંત્રીએ રાજ્યમાં હોસ્પિટલ, કોલેજ સહિત ઘણા વિકાસ કાર્યોની આધારશિલા રાખી હતી. […]
દીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગતનવનિર્મિત જલધર સર્કિટ હાઉસ નું રાષ્ટ્રપતિ ના હસ્તે ઉદઘાટનદેશ ના મહામુહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નું દીવ માં આગમન થતાં દીવ દમણ દાદરા નાગર હવેલી અને લક્ષદ્રીપ ના પ્રશાશક પ્રફુલ પટેલ એ રાષ્ટ્રપતિ નું ભવ્ય સ્વાગત કર્યું અને એરપોર્ટ થી સરકીટ હાઉસ સુધી ઠેક ઠેકાણે સાંસ્ક્રુતિક કાર્યક્રમ દ્વારા […]
દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન પહેલા કલેકટર શ્રી સલોની રાયની આગેવાનીમાં મીટીંગો વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરાયું હતુ તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દિવમાં આગમન થશે અને તેઓ ૪ દિવસ સુધી દિવમાં રોકાશે.દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનું રપ ડિસેમ્બરના રોજ આગમન થશે. અને ર૮ ડિસેમ્બરે દીવથી વિદાય થશે આ ચાર દિવસના રોકાણમાં […]
પેરીસ : ફ્રાંસના મધ્યમાં આવેલા પુય-ડી-ડોમ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ પોલીસના મોત નીપજ્યાં છે જ્યારે ચૌથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર સ્થાનિક પોલીસને પારિવારિક હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે 48 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી
ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે પરંતુ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઇ વાત બની નથી. સરકાર પોતાના ઇરાદા પર અડગ છે તો ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. સરકારે ફરી એક વખત વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે જેની પર ખેડૂતો વિચાર કરી રહ્યા છે માં કોંગ્રેસનો થાળી પીટી આંદોલન […]
ભારતમાં કોરોનાના નવા કેસોમાં વધારાનો દોર યથાવત હોય તેમ નવા કેસમાં ફરી વૃદ્ધિ થઈ છે. આજે 23950 નવા કેસ નોંધાયા હતા જયારે 333નો ભોગ લેવાયો હતો.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે મંગળવારે નવા કેસોની સંખ્યા 20 હજારથી નીચે રહ્યા બાદ આજે ફરી કેસ વધી ગયા છે. ચોવીસ કલાકમાં 23950 કેસ નોંધાયા હતા. કુલ આંકડો […]
આ નવું ભારત છે જે સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી શકે છે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે ચીનની સાથે સરહદ વિવાદથી ભારત જે રીતે વ્યવહાર કર્યો છે તેણે સાબિત કરી આપ્યું કે ભારત નબળું નથી. સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ રીતે એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી […]
દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ દૈનિક ૪,૫૦૦ ટેસ્ટ થાય છેઃ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ ૧૯ની ત્રીજી વેવ સમાપ્ત થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. દિલ્હીમાં આજે પ્રતિદિવસ લગભગ ૯૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ દેશમાં સૌથી વધુ છે.કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ સમસ્યા સર્જાઈ હતી […]
Recent Comments