રાષ્ટ્રીય

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની કરી સમીક્ષા

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા ઘટાડી દીધી છે. મળતી માહિતી અનુસાર, ગુરશરણ કૌરને હવે ઢ કેટેગરીની સુરક્ષા મળશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સમીક્ષા બાદ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની સશસ્ત્ર સુરક્ષા ઘટાડીને ઢ કેટેગરી કરી દીધી છે. ગત વર્ષ ૨૬ ડિસેમ્બરે ૯૨ વર્ષની ઉંમરમાં દિવંગત થયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના પરિવારથી હોવાના કારણે તેમને પહેલા ઢ+ કેટેગરીની કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી હતી.
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી ગુરશરણ કૌરની સુરક્ષા હાલમાં કરાયેલી સમીક્ષામાં તેમને ઢ કેટેગરીમાં રાખવાની જાેગવાઈ કરાઈ છે, જે સુરક્ષાનું બીજું સૌથી ઉચ્ચ સ્તર છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (ઝ્રઇઁહ્લ) વીઆઇપી સુરક્ષા વિંગને કૌર માટે ઢ કેટેગરી અનુસાર કર્મચારીઓની સંખ્યા અને પ્રોટોકોલ ઓછા કરવાનો નિર્દેશ અપાયો છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ખાનગી સુરક્ષા સાથે તેમના ઘરની સુરક્ષા માટે અંદાજિત ૧૨ સશસ્ત્ર કમાન્ડોની સુરક્ષા મળશે. તેમણે જણાવ્યું કે, સુરક્ષાના વર્ગીકરણમાં ફેરફારના કારણે પૂર્વ વડાપ્રધાન માટે મંજૂર દિલ્હી પોલીસ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ વડાપ્રધાન માટે વિશેષ સુરક્ષા સમૂહ અધિનિયમમાં ફેરફાર કરાયા બાદ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ૨૦૧૯માં ઝ્રઇઁહ્લના છજીન્ પ્રોટોકોલ સાથે ઢ+ કવર ઉપલબ્ધ કરાયું હતું. સ્વ. મનમોહન સિંહ ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે બે વખત દેશના વડાપ્રધાન રહ્યા.

Related Posts