ગુજરાત

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સાંજે ૪ઃ૧૬ કલાકે ભૂકંપનો આંચકો

ગુજરાતમાં ૨૦૨૪માં ભૂકંપના કુલ ૧૩ આંચકા નોંધાયા, એક જ વર્ષમાં એકસાથે ૧૩ આંચકા આવેલા હોય તેવું છેલ્લા ૧૨ વર્ષમાં બન્યું નથી નવા વર્ષની શરૂઆત થતાં જ કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો અટકતો નથી. સાંજે ૪ઃ૧૬ કલાકે રાપરથી ૨૪ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ સાથે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ પહેલાં, બે દિવસ પહેલાં પણ કચ્છમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાતમાં ૨૦૨૪માં ભૂકંપના કુલ ૧૩ આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં ૨, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં ૧-૧, નવેમ્બરમાં ૮ જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી ૧ આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨૦૨૩માં ૫, ૨૦૨૨માં ૧ જ્યારે ૨૦૨૧માં ૭ આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે ૧૩ આંચકા આવેલા હોય તેવું છેલ્લા ૧૨ વર્ષમાં બન્યું નથી. રાપર, ભચાઉ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાતમાં ૨૦૨૪માં અત્યાર સુધીમાં કુલ ૧૩ ભૂકંપના આંચકા નોંધાયા છે, જે ગત વર્ષો કરતાં ઘણો વધારે છે. આ સિલસિલો શા માટે વધ્યો છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.

Related Posts