પૂર્વ મહારાષ્ટ્ર જિલ્લાના ભીલગાંવ ખાતે અંકિત પલ્પ્સ એન્ડ બોર્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના યુનિટના ગ્લાસ લાઇન રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. વિસ્ફોટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
આ ઘટના મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ સવારે લગભગ ૧૧ વાગ્યે થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અડધો ડઝન અન્ય ઘાયલ થયા હતા. તેમણે માહિતી આપી હતી કે બધા ઘાયલો નજીકના કમ્પટી શહેરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી એકની હાલત ગંભીર છે.
કંપની માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (સ્ઝ્રઝ્ર) ના ઉત્પાદનમાં રોકાયેલી છે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ અને ખાદ્ય ઉદ્યોગોમાં થાય છે.
સ્ઝ્રઝ્ર નો ઉપયોગ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એક્સિપિયન્ટ૧ (બાઈન્ડર/ફિલર) તરીકે થાય છે. તેની વેબસાઇટ અનુસાર, કંપની વિવિધ ફાર્માસ્યુટિકલ સેગમેન્ટમાં ઉપયોગ માટે એક્સિપિયન્ટ્સના ઉત્પાદનમાં ઊંડાણપૂર્વક કામ કરે છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં ૧ ફાર્મા કંપનીના યુનિટમાં વિસ્ફોટ, ૧નું મોત, ૬ ઘાયલ












Recent Comments