રાષ્ટ્રીય

નોઈડાના સેક્ટર ૬૩ વિસ્તારમાં આવેલી બહલોલપુરની ઝૂંપડપટ્ટી વસાહતમાં આગની ઘટના; લગભગ ૫૦ થી ૧૦૦ ઝૂંપડા બળીને ખાખ

શનિવારે સવારના સમયે નોઈડાના સેક્ટર ૬૩માં બહલોલપુર નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગને કારણે ઝૂંપડીઓમાં રાખેલા સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના કારણે થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું અને થોડી જ વારમાં ડઝનબંધ ઝૂંપડીઓ આગની લપેટમાં આવી ગઈ. આગને કારણે ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
અંધાધૂંધીમાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કોઈક રીતે બહાર આવીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. માહિતી મળતા જ અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કરી દીધું.
આગની ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આશરે ૫૦ થી ૧૦૦ ઝૂંપડાઓમાં આગ લાગી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જાેકે, રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગમાં અનેક ગેસ સિલિન્ડર ફાટતાં આગ વધુ વિકરાળ બની હતી. આગ ઓલવવા માટે ૧૦ થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને કામ શરૂ કર્યું હતું.
એડીસીપી સેન્ટ્રલ નોઈડા, હૃદેશ કથેરિયાએ જણાવ્યું હતું કે માહિતી મળતાની સાથે જ, પહેલા ૩ ફાયર યુનિટ મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેઓ અહીં આવ્યા અને જાેયું ત્યારે આગ ઘણી ફેલાઈ ગઈ હતી. ઝૂંપડપટ્ટીઓની ગીચતા ખૂબ વધારે હોવાથી, અમે અહીં ૧૦ વાહનો બોલાવ્યા છે. જે આગ ઓલવવામાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગ રૂપે વધુ વાહનો બોલાવવામાં આવ્યા છે.

Related Posts