રાજસ્થાનની અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબાર

રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં અંદર મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વિષ્ણુ ગુપ્તા પર શનિવારે સવારે (૨૪ જાન્યુઆરી) અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો. જાેકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ બાબતે વિષ્ણુ ગુપ્તાના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે ગગવાના લાડપુરા કલ્વર્ટ પાસે બે બાઇક સવાર યુવાનો તેમની કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઇક સવારે તેની કાર પર ગોળીબાર કર્યો. આ દરમિયાન, જ્યારે ડ્રાઇવરે કારની ગતિ વધારી, ત્યારે બાઇક સવાર અજાણ્યા બદમાશે કાર પર બીજી ગોળી ચલાવી, જે કારના નીચેના ભાગમાં વાગી. આ પછી, જ્યારે ડ્રાઇવરે કારની ગતિ ફરીવાર વધારી, ત્યારે હુમલાખોરો ભાગી ગયા.
આ હુમલાની ઘટના બાદ વિષ્ણુ ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, “આ ઘાતક હુમલો મને ડરાવવા માટે કરવામાં આવ્યો છે. તેઓ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જાે હું ફરીથી અજમેર આવીશ તો મને મારી નાખવામાં આવશે. અહીં આવતા પહેલા પણ મને આવી ધમકીઓ મળી હતી.” પણ હું આ હુમલાથી ડરવાનો નથી. હું સંકટ મોચન મહાદેવ મંદિરની દરેક તિથિએ અહીં આવીશ. ભલે તેઓ ગોળીબાર કરે કે બોમ્બ ફેંકે, હું ડરવાનો નથી. અજમેર દરગાહનું સત્ય બહાર આવશે. બધાની સામે, કારણ કે તે સંકટ મોચન મહાદેવ મંદિર છે, અજમેર દરગાહ નહીં.”
ગોળીબાર ની ઘટના બાબતે અજમેરના એસપી વંદિતા રાણાએ જણાવ્યું હતું કે, “વિષ્ણુ ગુપ્તાએ અમને ફોન કરીને જણાવ્યું હતું કે જ્યારે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. અમને માહિતી મળતાં જ અમારી આખી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અમે હ્લજીન્ ટીમને બોલાવી છે, જેથી વાહનની તપાસ કરી શકાય. આ ઉપરાંત, રૂટ પર લગાવેલા ઝ્રઝ્ર્ફ ફૂટેજની મદદથી હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે.” જાેકે, હુજ સુધી હુમલો કોણે કર્યો છે તેની માહિતી સામે આવી નથી, તેની તપાસ ચાલી રહી છે.
Recent Comments