ભાવનગર

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ને મહાકુંભ મેળામાં અખાડા પરિષદ દ્વારા સાહિત્ય વિભૂષણ ની પદવી આપવામાં આવી.

તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં આચાર્ય મહાસભાના અધ્યક્ષ અને પંચનામ જૂના અખાડા ના મહામંડલેશ્વર શ્રીઅવધેશાનંદ ગીરીજી મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદ ના મહામંત્રી હરિગીરી મહારાજ, સભાપતિ પ્રેમગીરીજી મહારાજ, શ્રીપંચ દશનામ જુના અખાડાના જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ મુચકુંદ ગુફા જૂનાગઢ, મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી દ્વારા સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ને સાહિત્ય વિભૂષણ ની પદવી આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સંતો, મહંતો, મહામંડલેશ્વરો ના વરદ હસ્તે માયાભાઈ આહીર ને ફુલહાર, શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આતકે લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ના ચાહકો કૃષ્ણગીરી ગોસ્વામી કાનાભાઈ લીંબડી, જનકગીરી ધારી, અતુલભાઈ જાની નિવૃત ફૌજી સાવરકુંડલા, ભાવેશભાઈ ભુવા ઠવી, હાજુભાઈ મોરી ભોકરવા, અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્લિક રીલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી વગેરે સેવાભાવી અને લોકસાહિત્ય પ્રેમીઓએ માયાભાઈ આહીર ને સાહિત્ય વિભૂષણ ની પદવી મળતા ખુશી વ્યકત કરી હતી.

Related Posts