અમરેલી

તા.૨૭ ફેબ્રુઆરીથી ધો.૧૦ તથા ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ

ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૭ માર્ચ, ૨૦૨૫ દરમિયાન યોજાશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરુરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ની પરીક્ષાનો તા.૨૭ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે તે માટે ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વિદ્યાર્થીઓનો તણાવ દૂર થાય તે માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે.

અમરેલી જિલ્લામાં ધો.૧૦ની ૧૯,૪૯૫ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૯,૫૭૨ અને વિજ્ઞાન પ્રવાહ ૧,૭૨૮ સહિત ૧૧,૩૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે.અમરેલી જિલ્લામાં ધોરણ ૧૦ની તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૦ માર્ચ, ૨૦૨૫ સુધી સવારે ૧૦ કલાકેથી બપોરના ૧.૧૫ કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા જિલ્લાના ૨૮ કેન્દ્રના ૭૯માં બિલ્ડિંગમાં ૧૯,૪૯૫ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપશે.

ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહની તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૭ માર્ચ, ૨૦૨૫ સુધી સવારે ૧૦.૩૦ કલાકથી બપોરે ૧.૪૫ કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહની ૧૫ કેન્દ્રના ૩૮ બિલ્ડિંગમાં ૯,૫૭૨ વિદ્યાર્થીઓ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.

તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૦ માર્ચ, ૨૦૨૫ બપોરે ૩ કલાક થી સાંજે ૬.૩૦ કલાક દરમિયાન ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. આ માટે ૦૫ કેન્દ્રોના ૧૧ બિલ્ડિંગમાં ૧,૭૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તકેદારીના ભાગરુપે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ-૧ તથા વર્ગ-૨ના અધિકારીઓને બોર્ડની આ પરીક્ષા દરમિયાન સતત મોનિટરિંગ માટેની ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની અને આસપાસના વિસ્તાોરમાં પોલીસ તૈનાત રહેશે.

Follow Me:

Related Posts