અમરેલી, તા.૨૭ મે, ૨૦૨૫ (મંગળવાર) મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટ ડાઉન યોગ શિબિર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી ખાતે યોજાયેલ આ યોગ શિબિરમાં આશરે ૩૦૦ જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો.
યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન-૦૬ ના ઇન્સ્પેક્શન કો-ઓર્ડિનેટર શ્રી રિદ્ધિબેન દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો. મેદસ્વિતા દૂર કરવા યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કેટલો મહત્વનો છે તે સમજાવવામાં આવ્યું. અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટર તથા યોગ કોચ, યોગ ટ્રેનર દ્વારા યોગ અમરેલી જિલ્લામાં વધુમાં વધુ નિઃશુલ્ક યોગ વર્ગો શરુ થઇ શકે તે માટે પ્રયત્નો શરુ છે.
ગુજરાત રાજય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ” ગુજરાત રાજય યોગ બોર્ડ ”ની રચના કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજયમાં યોગનો વ્યાપ વધે, વધુમાં વધુ નાગરિકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ માટે યોગ્ય માર્ગદર્શન મળે, નાગરિકો નિરોગી રહે તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી વધુ સારુ અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે યોગ બોર્ડનો મુખ્ય હેતુ છે. જિલ્લાના નાગરિકોને આ નિઃશુલ્ક યોગ વર્ગમાં જોડાવવા અને યોગને પોતાની જીવનશૈલીનો મહત્વનો ભાગ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ છે.
Recent Comments