બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જાેવા મળી શકે છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે કારણ કે રાજકીય પક્ષો દેશમાં પરિવર્તન લાવવા માટે એક સામાન્ય જમીન પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હોવાથી તેમને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
મોહમ્મદ યુનુસે ગુરૂવારે (૨૨ મે) રાજધાની ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતા અને નેશનલ સિટિઝન પાર્ટીના પ્રમુખ નાહિદ ઇસ્લામે કહ્યું કે, ‘અમે સવારથી સર યુનુસના રાજીનામાંની ખબર સાંભળી રહ્યા છીએ. તેથી હું આ મામલે ચર્ચા કરવા ગયો હતો. તેમણે મને કહ્યું કે, હું આ વિશે વિચારી રહ્યો છું. હું બંધક જેવું અનુભવી રહ્યો છું. મને લાગે છે કે, હાલની સ્થિતિમાં કામ ન કરી શકાય. જ્યાં સુધી રાજકીય પાર્ટી સામાન્ય સંમતિ સુધી નથી પહોંચતા, હું કામ નહીં કરી શકુ.‘
નાહિદ ઇસ્લામે કહ્યું કે, જાે યુનુસને સમર્થન નહીં મળે તો તેમનું પદ પર રહેવાનો કોઈ તર્ક નથી. જાે રાજકીય પાર્ટી ઈચ્છે છે કે, તે અત્યારે જ રાજીનામું આપી દે તો તે કેમ રોકાશે?
નાહિદ ઇસ્લામ સાથે મહેફૂઝ આલમે પણ તેમના સત્તાવાર નિવાસ જમુના પર જઈને મુલાકાત લીધી હતી. તેના એક દિવસ પહેલાં જ બાંગ્લાદેશની સેનાના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને મોહમ્મદ યુનુસને આકરી ચેતવણી આપતા ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા મહિનાઓ થી બાંગ્લાદેશમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોથી લઈને વિપક્ષી પાર્ટીઓ સુધી મોહમ્મદ યુનુસ ચારે બાજુથી ઘેરાયેલા છે. પ્રમુખ વિપક્ષી પાર્ટી આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે. વિરોધી પાર્ટીએ મહેફૂઝ આસિફ અને અલીલુર્રહમાન જેવા નેતાઓને સરકારથી બહાર કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે.
નોંધનીય છે કે, ગત વર્ષે પાંચ ઓગસ્ટે બાંગ્લાદેશની તત્કાલિન વડાંપ્રધાન શેખ હસીનાના સામે વિરોધ બાદ સત્તા પરિવર્તન થયું અને હસીના ભાગીને ભારત આવી ગયા હતાં. ત્યારબાદ આઠ ઓગસ્ટે મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
‘મને બંધક જેવું લાગી રહ્યું છે…‘: મોહમ્મદ યુનુસયુનુસ રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે, વિરોધ પ્રદર્શનો ઢાકામાં ફરીવાર અશાંન્તિ ઊભી કરી શકે

Recent Comments