ભાવનગર

ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન,મુંબઈના સહયોગથી શિશુવિહાર સંસ્થા ની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત  સર્વાંગી તાલીમ વર્ગનું પ્રારંભ

ભાવનગર ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન,મુંબઈના સહયોગથી શિશુવિહાર સંસ્થા ની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત  સર્વાંગી તાલીમ વર્ગનું પ્રારંભ

બાળકો. વેકેશન નો સદુપયોગ કરી શકે. તેમના માં સર્જનાત્મકતા વિકસે તેમની પ્રતિભાને અભિવ્યક્તિ માટે પ્લેટફોર્મ મળે અને શાળાકીય શિક્ષણ થી વિશેષતેઓમાં જીવન કૌશલ્યનો વિકાસ થાય તે હેતુ થી ૧૯૪૦ થી શિશુવિહાર માં વિવિધ પ્રવૃત્તિ ઓનું આયોજન થાય છે..બાળકો તેમના રસ – સૂચિ મુજબ ૧૭ થી વધુ કૌશલ્યમાં નિષ્ણાતો દ્વારા તાલીમ મેળવે તેવી વ્યવસ્થાઓ થાય છે. ગુજરાતના સ્થાપના દિવસથી  શિશુવિહાર પરી સર માં ..૧૨-૧૨ દિવસ માટે ત્રણ તબક્કે યોજાતી આ તાલીમ માં સ્કેટિંગ, કરાટે ,મહેંદી , આર્ટ એન્ડ ક્રાફટ, ગ્લાસ પેઇન્ટિંગ, બ્યુટી પાર્લર ,ચિત્ર, ઓરીગામી અને વાચન શિબિર પ્રકારના કૌશલ્ય માં ૧૦૫ થી વધુ બાળકો  તાલીમ મેળવી રહ્યા છે……. ગ્રીષ્મ તાલીમ વર્ગ ની દ્વિતીય શિબિર તા.૧૪ મે થી શરૂ થનાર છે.. જેમાં પણ નાગરિકોને બાળકોને ભાગ લેવા નિમંત્રણ છે..

Related Posts