અમરેલી તાલુકાના ચિતલ નજીક આવેલા જસવંતગઢ માં વસતા પટેલ કનુભાઈ વાઘજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૪)નું તા.૨૪-૧૨-૨૦૨૪ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં પૂત્રો અશોકભાઈ કે. માંગરોળિયા (સરપંચ, જસવંતગઢ) તથા અશ્વિનભાઈ કે. માંગરોળિયા (સુરત) દ્વારા પિતાનાં ચક્ષુદાન નો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેમણે દેસાઈ કોટેક્ષ વિજયભાઈ દેસાઈ ના માધ્યમથી નેત્રદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપ નાં વિપુલ ભટ્ટી ને જાણ કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી. સેવાભાવી માંગરોળિયા પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનો ના જીવનમાં રોશની લાવશે તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે, અશોકભાઈ માંગરોળિયા તેમના ગામ જસવંતગઢ તેમજ ચિતલ વિસ્તારમાં નેત્રદાન અંગે સતત જાગૃત તેમજ પ્રવૃત રહે છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝા એ જણાવ્યું છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
જસવંતગઢ ના સરપંચ અશોક માંગરોળિયાનું પ્રેરણાદાયી કાર્યસંવેદન ગૃપ દ્વારા લેવાયું ૧૦૪મુ ચક્ષુદાન

Recent Comments