ગુજરાત

જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજી જળ શક્તિ પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલ ચર્ચા

જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચાસુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાંઈશ્વરિયા શનિવાર તા.૪-૧-૨૦૨૫રાષ્ટ્રીય કક્ષાએ નદી સંદર્ભે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા થઈ. સુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં.સમગ્ર દેશમાં નદીઓનાં કામ સંદર્ભે તરુણ ભારત સંઘનાં વડા, જળ પુરુષ અને મેગ્સેસે પુરસ્કૃત શ્રી રાજેન્દ્રસિંહજી કાર્યરત છે. ગુજરાતમાં પણ નદી નીતિ સંદર્ભે તેઓએ તાત્કાલિક મુખ્યમંત્રી શ્રીઓ સાથે રજૂઆત અને ચર્ચા બેઠક કરેલ છે.સુરત ખાતે શ્રી રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા બાબતે ચર્ચા થઈ. આ વેળાએ દેશમાં આ અભિયાન તેજથી લાગુ કરવાં વાત થઈ. શ્રી રાજેન્દ્રસિંહજીએ મહારાષ્ટ્રમાં જાનુયા નદીલા અભિયાન અંગે જાણકારી આપી અને આદર્શ નમૂનો હોવાનું ઉમેર્યું. તેઓએ આ પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગુ કરવાં વાત કરી. જળ શક્તિ પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટિલે આ અંગે સંપૂર્ણ વિગતો આપવા માટે આગ્રહ કર્યો અને આ દિશામાં આગળ વધવા ખાતરી આપી. આ મુલાકાત વેળાએ અન્ય જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં.આ કામગીરીમાં શ્રી સુમંત પાંડે, શ્રી હસમુખ પટેલ તથા શ્રી તરુણ પટેલ સંકલનમાં રહેનાર હોવાનું ગુજરાત જળ બિરાદરીનાં કાર્યકારી સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

Related Posts