અમરેલી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની બેઠક મળી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક લાઠી પેન્શનર સમાજ ના કાર્યાલય ખાતે મળી જેમાં સમૂહ પ્રાર્થના થી પેન્શનર સમાજ ની  બેઠક નો પ્રારંભ કરાયો હતો લાઠી તાલુકા પેન્શનર સમાજ ના કારોબારી સદસ્યો એ હાજરી આપી ગત તા.૨૨ એપ્રિલ ના રોજ કશમીર ના પહેલગામ માં થયેલ આતંકી હુમલા ના ૨૮ મૃતકો ને શ્રધાંજલિ પાઠવી હતી પેન્શનર સમાજ ને લગતા પ્રશ્નો અંગે વિસ્તૃત પરામર્શ કરાયો હતો ગત વર્ષ ના હિસાબો વંચાણે લેવાયા હતા લાઠી તાલુકા પેન્શનર સમાજ ના મહત્વ ના મુદ્દે તજજ્ઞ હોદેદારો એ સર્વ ને અવગત કર્યા હતા 

Related Posts