વીજચોરીનો કેસ નહી કરવા માટે ત્રણ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના મોટાબાપુની વાડીમાં ઁય્ફઝ્રના કર્મચારીઓ ટી સી રિપેરીંગ કામ કરવા ગયા હતા. દરમિયાન વાડી પાસેથી પસાર થતા ઈલેક્ટરિક થાંભલાના તારમાં કોઈ ખેડૂતે આંકડા નાંખી વીજચોરી કરતા હોવાનું જણાયું હતું. જેને પગલે દામનગર ઁય્ફઝ્રના લાઈનમેન રાજેન્દ્રસિંહ માધવસિંહ જનવારે ફરિયાદીના મોટાબાપુના દિકરાને આ આંકડા કોણે નાંખ્યા છે તેની મને ખબર છે અને મેં ફોટા પાડી લીધા છે, એમ કહ્યું હતું. તમારા મોટા બાપુને કહેજાે કે મને મળી જાય નહીતર વીજચોરીનો કેસ કરવો પડશે. આથી ફરિયાદીએ રાજેન્દ્રસિંહ સાથે ફોન પર વાત કરતા તેણે વીજચોરીનો કેસ નહી કરવા માટે રૂ.૩,૦૦૦ ની લાંચ માંગી હતી. બીજીતરફ એસીબીએ છટકુ ગોઠવીને રાજેન્દ્રસિંહ જનવારની લાંચ લેતા ધરપકડ કરી હતી. બાદમાં આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરકરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપી રાજેન્દ્રસિંહ જનવારને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ઙરે તો વધુ ચાર માસની કેદની સજા કરી હતી.
અમરેલીમાં એ.સી.બી ના ગુનામાં પી.જી.વી.સી.એલ ના લાઈનમેનને ૩ વર્ષની સખત કેદ અને ૧૦ હજારનો દંડ થયો

Recent Comments