સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં માન. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા માર્ગદર્શનથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોક દરબારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત વોર્ડ નંબર ૧ માં ધનાબાપુ આશ્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ,ચીફ ઓફિસર એચ.પી બોરડ તેમજ નગરપાલિકા તમામ શાખાઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં સ્થાનિક રહીશો દ્વારા 15 થી વધારે પ્રશ્નો મૂકવામાં આવ્યા.
જેમાંથી સ્થળ પર જ અમુક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું અને બીજા પ્રશ્નો નું થોડા દિવસોમાં નિરાકરણ લાવી આપવાની ખાતરી અને બાંહેધરી આપવામાં આવી હતી. આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, વિજય સિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, રાજુભાઈ દોશી ,અજયભાઈ ખુમાણ , ધર્મેન્દ્રભાઈ મહેતા, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન કાપડિયા સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના આ નવતર પ્રયોગ ને સ્થાનિક રહીશો દ્વારા બિરદાવ્યો હતો અને આવી જ કામગીરી કરતા રહો તેવી રહીશો દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી.
Recent Comments