સમાજમાં એકતા, જાગૃતિ અને ચેતના સાથે સમાજની સંગઠન શક્તિને વધારે ઉજાગર કરવાના શુભાશયથી અમરેલી શહેર કડવા પાટીદાર સંગઠન સમિતિની અગત્યની મિટીંગ તા. ૨૬-૦૩-૨૦૨૫ ને મંગળવારે હિંમત ઇન્ડસ્ટ્રીઝ મુકામે આયોજિત કરવામાં આવેલ હતી.
સામાજીક આગેવાન સ્વ. તુલસીભાઇ સરખેદીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અમરેલી શહેર સંગઠન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોલ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયેલ હતું. ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની કારોબારી સભાના વિશિષ્ટ આમંત્રિત સભ્ય તરીકે શ્રી વજુભાઈ ગોલની નિમણૂક થવા બદલ તેમજ સહકારી ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પસંદગી થયેલ શ્રી પ્રાગજીભાઈ કાલરીયા અને અમરેલી તાલુકા સંગઠન સમિતિના પ્રમુખ તરીકે વરણી પામેલ શ્રી બાલુભાઈ માતરીયાનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું.
સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખશ્રી વજુભાઈ ગોલ દ્વારા આગામી સમયાનુસાર મજબૂત સંગઠન માટેની યોજના, કળશ યોજના, ધ્વજા પૂજન, સમૃદ્ધિ યોજના – ૩, પાટીદાર સમાજ વિઝન ૨૦૩૦, ઉમા જયંતીની ઉજવણી વગેરે અંગે સભ્યોને માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત ઉમિયા મંદિર સીદસરના ટ્રસ્ટીશ્રી જયવંતભાઈ ફીણાવા, સામાજિક આગેવાનશ્રી પ્રાગજીભાઈ કાલરીયા, અમરેલી જિલ્લા સંગઠન સમિતિના પ્રમુખશ્રી ગોરધનભાઈ સુરાણી, ઉપપ્રમુખશ્રી જયંતિભાઈ ચત્રોલા, અમરેલી તાલુકા સંગઠન સમિતિના પ્રમુખશ્રી બાલુભાઈ માતરીયા, લાઠી તાલુકા સંગઠન સમિતિના ઉપપ્રમુખશ્રી જગદીશભાઈ વિરમગામા વગેરેએ પ્રોત્સાહનરૂપ માર્ગદર્શન આપેલું હતું.
ઇન્ડિયન પોસ્ટ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર શ્રી જય ગોલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર બેઠકનું સંચાલન પ્રા. એમ. એમ. પટેલ અને આભારવિધિ શ્રી રાજુભાઈ સરખેદી દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી શહેર સંગઠન સમિતિના મંત્રીશ્રી રોનક ભાલોડીયા, તેમજ સંગઠનના સભ્યશ્રી શ્રી રમેશભાઇ દસલાણીયા, શ્રી કાળુભાઇ આદ્રોજા, શ્રી જીતેનભાઇ ગોલ, શ્રી પ્રદિપભાઇ મેઘપરા, શ્રી ભાવેશભાઇ કડેવાળ, શ્રી ગૌરવભાઇ કડેવાળ, શ્રી હિતેનભાઇ નવાપરીયા, શ્રી અમિતભાઇ એવિયા, શ્રી દિનેશભાઇ જાવિયા, શ્રી રાજેશભાઇ સોળીયા, શ્રી હર્ષદભાઇ વિરપરા, શ્રી અશોકભાઇ શેરા, શ્રી જીતુભાઇ ગોલ, શ્રી યોગેશભાઇ ગોલ, શ્રી કિશનભાઇ ગોલ, શ્રી મિલનભાઇ ગોલ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
અમરેલી શહેર કડવા પાટીદાર સંગઠન સમિતિની મળેલ મિટીંગ

Recent Comments