સાવરકુંડલા: છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અચાનક આવેલા વાતાવરણીય
પલટાને કારણે માવઠા, ભારે પવન અને કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
ખાસ કરીને ડુંગળી, તલ, બાજરી જેવા ઉનાળુ પાકો અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે.
ખેડૂતો તરફથી મળતી માહિતી અનુસાર, ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે
તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારને તાત્કાલિક સ્થળ સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા
કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા વિનંતી કરવામાં આવે છે,
જેથી તેઓ આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે.ખેડૂતોના હિતમાં તાત્કાલિક સહાય કરવા
મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ક્રૃષિ મંત્રી રાધવજી પટેલ ને રજુઆત ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા દ્વારા કરવામા આવી તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ
અખબારી યાદીમાં જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર ના ખેડુતોની વહારે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા

Recent Comments