અમરેલી

દામનગર શ્રી કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં બ્રહ્મસમાજ દ્વારા કળશ પૂજા ધજારોહણ યજ્ઞ સંપન્ન

દામનગર શહેર ની દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં કળશ પૂજન એવમ ધજારોહણ યજ્ઞ સંપન્ન દામનગર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર બ્રહ્મસમાજ દ્વારા કળશ પૂજા એવમ  ધજારોહણ યજ્ઞ યોજાયો હતો શહેર ના બ્રહ્મસમાજ ના યુવાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ની કળશ પૂજા યજ્ઞ અને ધજારોહણ કરાયું હતું વર્ષો ની પરંપરા મુજબ શ્રવણ માસ માં યોજાયા ધજારોહણ અને કળશ પૂજા માં યજ્ઞ માં ભાવિકો એ ધર્મ ઉલ્લાસ સાથે ધર્મ લાભ મેળવ્યો હતો 

Related Posts