રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. હકીકતમાં સુરતમાં ૪૮ કલાકમાં આપઘાતના ૮ બનાવોએ ખળભળાટ મચાવી દીધો છે. રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.હકીકતમાં સુરતમાં ૪૮ કલાકમાં આપઘાતના ૮ બનાવોએ ખળભળાટ મચાવી દીધો છે. આ આત્મહત્યાના બનાવોમાં કેટલાકે આર્થિક સંકડામણના કારણે તો કેટલાકે સામાન્ય કારણોસર આપઘાત કર્યો છે. સાથે જ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છે. સુરતમાં ૪૮ કલાકમાં આપઘાતની ૮ ઘટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, બે દિવસમાં ભાજપના મહિલા નેતા સહિત ૮ લોકોએ જીવનનો અંત આણ્યો છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીના કારણે જીવનનો અંત આણ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામ ન મળતા સંજય રામજી મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. આ સાથે ડાયમંડ સિટીમાં ૪ યુવકો, ૨ આધેડ અને ૨ યુવતીઓએ આત્મહત્યા કરી છે. દારૂ પીવાનું છોડી દેવાની ઠપકો આપતાં આધેડએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય એક યુવક અને યુવતીએ પણ સામાન્ય ઘરેલું ઝઘડાને કારણે આપઘાત કરી લીધો છે.
સુરતમાં છેલ્લા ૪૮ કલાકમાં આઠથી વધારે લોકોએ આત્મહત્યા કરી
















Recent Comments