ગુજરાત

પરસેવા માટે પરસેવો નહિ લોહી પાણી એક કરી દેતી ઉન્નમતો ની સેવા. સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે માનવતાવાદી સહજ હોસ્પિટલ ના તબીબી ડો મહેશ ભાતિયા કટાર લેખક નટવર ભાતિયા ગ્રીનઆર્મી ના મોભી મનસુખભાઈ કાસોદરિયા પધાર્યા

સુરત ના ધોરણ પારડી સ્થિત આર્શીવાદ માનવ મંદિર એટલે મનોદિવ્યાગો માટે માનવ હદય માં બંધાયેલ કીર્તિ મંદિર સમાન છે “પરસેવો” જ નહિ પણ લોહી પાણી એક કરી દેતી માનવતા ની મિશાલ રૂપ સંસ્થા ની મુલાકાતે પધારેલ ડોકટર મહેશ ભાતિયા પત્રકાર નટવર ભાતિયા સામાજિક સંસ્થા ના અગ્રણી મનસુખ કાસોદરિયા આફરીન થઈ ઉઠ્યા આ દુનિયા માં માનવતા હજુ મરી પરવરી નથી સેવા ની સરવાણી વહી રહી છે આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગ ને સ્વસ્થ નિરામય કરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવાનું જાણે અભિયાન ચાલી રહ્યું હોય તેમ

અત્યાર સુધી માં દેશ દેશાવર ના અનેક પ્રાંત ના ૨૫૦૦ થી વધુ મનોદિવ્યાંગ મહાપ્રભુજી  ઓને કુદરત સહજ જીવન તરફ દોરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી ચુકેલ આશીર્વાદ માનવ મંદિર ની અદભુત વ્યવસ્થા પરોપકારી ટ્રસ્ટી ઓ દાતા સ્વંયમ સેવકો એટલે પૃથ્વી ઉપર વિહાર કરતા દેવદૂત છે સમગ્ર સુરત શહેર માં આજે કોઈ પણ વિસ્તાર માં જાહેર સ્થળો એ લધર વધર કે ભુક્ષુક ઉન્નમત જોવા નથી મળતા એ આશીર્વાદ માનવ મંદિર ને આભારી છે રોડ રસ્તે રખડતા ભટકતા રેલવે બસ સ્ટેન્ડ વેરાન વગડા ઓમાંથી અતિ ગંભીર રોગિષ્ટ હિંસક તામસ વૃત્તિ ધરાવતા અતિ ગંભીર મનોદિવ્યાંગ વ્યક્તિ ઓને ગોતી ગોતી ને માનવ મંદિર માં લાવી તેની સેવા સારવાર અને ઉત્તમ લાલન પાલન કરી પરિવાર ના પુનઃ સ્થાપિત કરવા નો માનવતા વાદી યજ્ઞ ચલાવતી સંસ્થા નો ઉદ્દેશ માનવ માત્ર નો ઉત્કર્ષ એ જ ઉદ્દેશ સાથે ઉન્નમત રોગી ઓની સેવા સારવાર અને વ્યવસ્થા નિહાળી અભિભૂત થતા અગ્રણી ઓ એ આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત ને તીર્થ સ્થળ ગણાવતા સુંદર આપ્યો હતો “ઊંડા અંધારે થી પરત તેજે તું લઈ જા” સ્વમાન ભેર માનવ સમાજ માં પુનઃ સ્થાપિત થવા ની પ્રતીક્ષા કરતા ૭૦૦ જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગ વચ્ચે કલાકો વીતાવી દરેક વિભાગો વ્યવસ્થા ઓ નિહાળી ખૂબ પ્રભાવિત થતા અગ્રણી ઓના માનસ પટ ઉપર અમીટ છાપ છોડતી માનવ સેવા થી ગદગદિત થયા હતા 

સેવા માર્ગ ભક્તિ માર્ગ થી પણ ઉંચો છે રોગી ઓની સેવા ગહન છે યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી  આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત ને તીર્થ સ્થળ ગણાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો

Related Posts