રાષ્ટ્રીય

પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાનમાં રેલ સેવા પર મૂક્યો પ્રતિબંધ

પાકિસ્તાન સરકારે ઘણા બધા એવા ર્નિણયો લીધા છે જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મ્ન્છ સામે લાચાર થઈ ગયું છે. આ સંદર્ભમાં પાકિસ્તાન સરકારે સમગ્ર બલૂચિસ્તાનમાં રેલ સેવા બંધ કરી દીધી છે. રેલવેને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની મંજુરી ન મળવાના કારણે આવું પગલું ભરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં અગાઉ સિનેમા હોલના સંચાલન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ મામલે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન રેલ્વે હજુ સુધી ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની હિંમત દાખવી શકી નથી. રેલવે હજુ પણ સુરક્ષા એજન્સીઓની મંજૂરીની રાહ જાેઈ રહ્યું છે, જેના વિના તે ટિકિટ પણ બુક કરી શકતી નથી. પરિણામે રેલવેને દરરોજ ૨.૪ મિલિયન પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ બીજાે મોટો આર્થિક ફટકો છે.
એક તરફ બલૂચિસ્તાનમાં ટ્રેનો બંધ છે તો બીજી તરફ પાકિસ્તાન રેલવેએ ઈદના અવસર પર મુસાફરોની સુવિધા માટે પાંચ વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. પહેલી ઈદ સ્પેશિયલ ટ્રેન ૨૬ માર્ચે કરાચીથી લાહોર માટે રવાના થશે. બીજી ટ્રેન ૨૬ માર્ચે ક્વેટાથી પેશાવર સુધી દોડશે. ત્રીજી ટ્રેન ૨૭ માર્ચે લાહોરથી કરાચી માટે રવાના થશે. ચોથી ટ્રેન કરાચીથી રાવલપિંડી થઈને ફૈસલાબાદ અને સરગોધા થઈને ૨૭ માર્ચે ચાલશે. પાંચમી ટ્રેન કરાચીથી ફૈસલાબાદ અને શેખુપુરા થઈને લાહોર જશે. બલૂચિસ્તાનમાં રેલ્વે સેવાઓ બંધ હોવા છતાં, ઈદને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનોની જાહેરાત સ્પષ્ટપણે દર્શાવે છે કે પાકિસ્તાન સરકાર બાકીના ક્ષેત્રમાં સામાન્યતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ બલૂચિસ્તાનની સ્થિતિ પર સરકારનું મૌન એ બતાવવા માટે પૂરતું છે કે તે પોતે ત્યાં આતંકવાદીઓના ડરથી લાચારી અનુભવી રહી છે.

Related Posts