મહારાષ્ટ્રમાં બમ્પર જીત બાદ આજે પીએમ મોદીએ તેમના પ્રતિમાસના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકો સાથે જાેડાયા. તેમણે આજે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનઆઈસીસી ડે પર તેમના શાળાના દિવસોને યાદ કર્યા. આટલું જ નહીં ઁસ્ એ દેશના યુવાનોને એનીસીમાં જાેડાવા માટે પણ અપીલ કરી છે. આ સિવાય પીએમએ કહ્યું કે ૧૨ જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતિના અવસરે ભારત મંડપમમાં યુવા વિચારોનો મહાકુંભ યોજાશે. તેને ‘ડ્ઢીદૃીર્ઙ્મॅીઙ્ઘ ૈંહઙ્ઘૈટ્ઠ ર્રૂેહખ્ત ન્ીટ્ઠઙ્ઘીજિ ડ્ઢૈટ્ઠર્ઙ્મખ્તેી’ નામ આપવામાં આવ્યું છે. આ સિવાય મોદીએ ગુયાનાની તેમની વિદેશ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આપણી આજુબાજુની જૈવવિવિધતાને જાળવવામાં ચકલીનું ખૂબ જ મહત્વનું યોગદાન છે,
પરંતુ આજે શહેરોમાં ચકલીઓ ખૂબ જ મુશ્કેલીથી જાેવા મળે છે. વધતા શહેરીકરણને કારણે ચકલી આપણાથી દૂર થઈ ગઈ છે. આજની પેઢીના ઘણા એવા બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વીડિયોમાં જ જાેઈ છે. આવા બાળકોના જીવનમાં આ મનોહર પંખીને પાછું લાવવા માટે કેટલાક અનોખા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઁસ્ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે દેશ ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના રોજ ‘યુવા દિવસ’ ઉજવે છે. આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મજયંતિ છે. આ વખતે તે ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવશે. આ અવસર પર ૧૧-૧૨ જાન્યુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યુવા વિચારોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે ‘વિકસિત ભારત ર્રૂેહખ્ત ન્ીટ્ઠઙ્ઘીજિ ડ્ઢૈટ્ઠર્ઙ્મખ્તેી’. વડાપ્રધાન મોદીએ તેમના મન કી કાર્યક્રમમાં સૌથી પહેલા દ્ગઝ્રઝ્રનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે, દ્ગઝ્રઝ્ર મને મારા શાળાના દિવસોની યાદ અપાવે છે. દ્ગઝ્રઝ્ર ડે પર મોદીએ કહ્યું કે હું પોતે દ્ગઝ્રઝ્ર કેડેટ રહ્યો છું. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આમાંથી મળેલો અનુભવ મારા માટે અમૂલ્ય છે. દ્ગઝ્રઝ્ર સેવા, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે. પીએમ મોદીએ કહ્યું કે દ્ગઝ્રઝ્રને મજબૂત કરવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું કે ૨૦૧૪માં લગભગ ૧૪ લાખ યુવાનો દ્ગઝ્રઝ્રમાં જાેડાયા હતા અને ૨૦૨૪માં ૨૦ લાખ યુવાનો તેમાં જાેડાશે.
Recent Comments