ગુજરાત

કેન્દ્ર સરકારને આરબીઆઈ દ્વારા ૨.૬૯ લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત

દેશની કેન્દ્રીય રિઝર્વ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)એ કેન્દ્ર સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું હતું કે, તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આપવામાં આવેલા ૨.૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપેલું ડિવિડન્ડ ૮૭,૪૧૬ રૂપિયા હતું.
આરબીઆઈ ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, ડિરેક્ટર બોર્ડે એપ્રિલ ૨૦૨૪ – માર્ચ ૨૦૨૫ દરમિયાન રિઝર્વ બેંકની કામગીરીની પણ ચર્ચા કરી અને વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી. આ સાથે, બોર્ડે કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી.
સાથેજ આ બેઠકમાં એ પણ ર્નિણય લેવાયો કે, સુધારેલ આર્થિક મૂડી માળખું (ઈઝ્રહ્લ) હેઠળ આકસ્મિક જાેખમ બફર (ઝ્રઇમ્)ને હવે વધારીને ૭.૫ ટકા કરાશે, જે પહેલા ૬.૫ ટકા હતું. જણાવી દઈએ કે, કોરોના મહામારીના સમયે આરબીઆઈની આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખતા ૫.૫ ટકાનો ઝ્રઇમ્ જાળવી રાખ્યો હતો, જેને ગત બે વર્ષમાં તબક્કાવાર ૬ ટકા અને ૬.૫ ટકા સુધી વધારાયો હતો.
આરબીઆઈ પોતાના આર્થિક મૂડી માળખા (ઈઝ્રહ્લ) ના આધારે સરકારને ડિવિડન્ડ આપે છે. આ માળખું ઇમ્ૈંના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટના આધારે ઓગસ્ટ, ૨૦૧૯માં લાગુ કરવામાં આવ્યું હતું. જાલાન સમિતિએ આરબીઆઈના હિસાબના ૫.૫ થી ૬.૫ ટકાને આકસ્મિક જાેખમ બફર (ઝ્રઇમ્) તરીકે રાખવાની ભલામણ કરી હતી. હવે તે વધારીને ૭.૫ ટકા કરવામાં આવશે. ગયા અઠવાડિયે, ઇમ્ૈં બોર્ડે ઈઝ્રહ્લ ની સમીક્ષા કરી. આ આધારે ફક્ત સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.

Related Posts