ગુજરાત

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ૩ બી.એડ. કોલેજની માન્યતા રદ

બી.એડ અને એમ.એડ માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે જેમાં, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ૩ કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ન કરવા સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર અનુસાર, સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (મ્.ઈડ્ઢ) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજની (મ્.ઈડ્ઢ) માન્યતા રદ કરવામાં આવી છે.
જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ૩ બી.એડ. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. યુનિવર્સિટીએ પરિપત્રમાં જણાવ્યું કે, દ્ગઝ્ર્ઈ દ્વારા ૩ બીએડ અને સ્.ઈઙ્ઘ. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે.
યુનિવર્સિટીનાં પરિપત્રમાં જણાવ્યા મુજબ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ની પ્રવેશ પ્રક્રિયામાં આ સંસ્થા/કોલેજાેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ કોલેજાેમાં વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં. જે કોલેજાેની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (મ્.ઈડ્ઢ) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજ (મ્.ઈડ્ઢ) સામેલ છે.

Related Posts