ભાવનગર

શ્રી વિવેકાનંદ વિદ્યામંદિરના બાળકોએ ધોરણ 12 માં મેળવેલી અનેરી સિદ્ધિને આપના વર્તમાન પત્રમાં આપવા વિનંતી

શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતાં સાટીયા પિયુષ રામભાઈએ ધોરણ 12 ના પરિણામમાં મેળવી ભવ્ય સફળતા 

  ઉલ્લેખનીય છે કે ગણેશ શાળા – ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા સાટીયા પિયુષ રામભાઈ જણાવે છે કે તેમણે ધોરણ 12 માં બોર્ડમાં 98.40 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે તેમણે તત્વજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે,તેમનું જણાવવું છે કે તેમના પિતાશ્રી વ્યવસાયે ખેત મજૂરી કરે છે,પિયુષને નાનપણથી જ દેશ સેવા કરવાનું સ્વપ્ન છે એટલે ધોરણ 12 પછી તે પોલીસ બની સેવાના કાર્યો કરવા ઈચ્છે છે. તેમની આ ભવ્ય સફળતા પાછળ તેઓ જણાવે છે કે શાળાની અંદર થતું રીડિંગ તેમજ સમયાંતરે લેવામાં આવતા રાઉન્ડ પેપર અને દર અઠવાડિયે લેવામાં આવતી વિકલી ટેસ્ટના કારણે તેમણે આ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. સાથોસાથ સમયાંતરે વિષય શિક્ષકો દ્વારા મળતું માર્ગદર્શન તેમની આ સફળતા પાછળ મુખ્ય કારણરૂપ છે તેવું જણાવે છે. પિયુષ જણાવે છે કે ગ્રામ્ય કક્ષાએ સામાન્ય પ્રવાહમાં વિવેકાનંદ જેવી શાળા એ વાલીઓની પહેલી પસંદગી રહેવી જોઈએ.

Related Posts