અમરેલી જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ માર્ગની સમસ્યા ન રહે તેવા ઉદ્દેશ્યથી મંજૂર થયેલા માર્ગોનું સમારકામ અને રિસરફેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અભરામપરા એપ્રોચ રોડનું નવીનિકરણ થતા ગ્રામ્ય વિસ્તારની સુવિધામાં ઉમેરો થશે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સ્મિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત હસ્તકના ૭૧ જેટલા રસ્તાઓનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. હાલ મંજૂર થયેલા માર્ગ પૈકીના અભરામપર એપ્રોચ રોડનું જાબાળ સુધી ૦૪ કિલોમીટરનું રિસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં અંદાજિત ૩૧૨૦ ટન મટિરિયલ સાથે મલ્ટીલેયર કરવામાં આવી રહ્યા છે.
આ કામગીરીમાં જે.સી.બી ગ્રેડર, કમ્પ્રેસર, સ્પ્રેયર, પેવર અન રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેવાડાના વિસ્તારોમાં માર્ગના દુરસ્તીકરણની માંગણીઓ મુજબ મંજૂર થયેલા માર્ગનું કામ પૂરજોશમાં શરૂ છે. આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી કાર્યરત રહેશે.


















Recent Comments