12 જૂન, 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. તેમના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં આજે 16 જૂન, 2025ને સોમવારના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્ય શોકના દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે.
Recent Comments