બાબરા પાંચાળ વિસ્તારના ગામડાંમાં હજી તો અતિવૃષ્ટીનું પેકેજ નથી જાહેર થયું ત્યાં તો ઉનાળું વાવેતર માથે જોરદાર માવઠાથી ખેડૂત જગતનો તાત નિસહાય બાબરાના ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયા તેમજ બાબરા તાલુકા કમીટી તેમજ ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા દ્વારા રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ખેતી પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય શ્રી અને સાંસદશ્રી આગલી દિવાળી ઉપર ની અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાંથી સીંગ તણાઇ હતી તેમજ બીજા પાક તલ, જુવાર, બાજરી તેમજ કપાસ વગેરે ખેતી પાકને નુકશાન થયેલ. તેનું હજુ પેકેજ નથી મળેલ નથી ત્યાં તો ઉનાળુ પાક તલી, બાજરી, મગ, તેમજ ઉનાળું વાવેતર અને સુકી નીરણ વગેરે માં માવઠાના ભારે વરસાદથી ખુબ જ નુક્શાન થયેલછે.તો ખેડૂત ઉનાળામાં વાવેતર કરીને રોઝ, ભુંડ અને રખડતા પશુના ત્રાસને હિસાબે રાત-દિવસ જાગરણ કરવું પડતું હોય છે.તે ત્રાસ સામે ઝઝુમીને વાવેતર કરી ઉનાળું પાક પકવતો હોય છે.તો ખરેખર જગતનો તાત (ખેડૂત) ને ઉપર આભ અને નીચે ધરતી છે. માટે ખરેખર ભારતનું રદય ગામડું અને કરોડરજજુ ખેડૂત છે.તો ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયાએ જણાવ્યું હતું કે ભારતનું રદય ગામડું હોય અને તેનું કરોડરજજુ સમાન ખેડૂત હોય તો હૃદય ધબકતું રાખવા માટે સરકાર ગામડાં માટે અને ગામડાંનાં ખેડૂતો માટે સર્વે કરી પેકેજ મળવું જોઈએ. તે ઉપરાંત ખેતી ટકાવવી હશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ જરૂરી છે. પહેલા ખાંડી (૨૦ મણ ) સીંગ વેંચે અને ૧ તોલું સોનું આવતું. અત્યારે પાંચ ખાંડી સીંગ વેંચે ને ૧ તોલું સોનું આવે છે. કપાસના ભાવ ૧૦ વર્ષ પહેલા ૧૫૦૦ રૂપિયા હતા અને અત્યારે પણ ૧૫૦૦ ભાવ છે.તો આવી નીતી ખેડૂતો માટે રાખશે. તો ખેડૂત ખેતીથી દૂર થઈને સીટી તરફ પ્રયાણ કરશે.અને ગામડાં ભાંગે તેવી શક્યતા દેખાઈ રહી છે. માટે સરકાર ખેડૂત, ખેતી અને ગામડા માટે યોગ્ય નીતી ઘડે.તેમજ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરાએ જણાવ્યું હતું કે ખેડૂતોના સુકો ચારો, તેમજ ઉનાળું વાવેતર તલ, બાજરી, શાકભાજી વગેરે તેમજ વાડીમાં કાંઈ નુકશાનનું સર્વે કરી આગલું અતિવૃષ્ટિનું અને માવઠાથી થયેલ નુકશાનનું ખે ખેડૂતોને યોગ્ય પેકેજ ફાળવે.તેવી રજુઆત કરી હતી
પાંચાળ પંથક માં અતિવૃષ્ટીનું પેકેજ જાહેર નથી થયું ત્યાં ઉનાળું વાવેતર માથે માવઠા નો માર

Recent Comments