ભાવનગર

તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ માર્ચના રોજ યોજાશે

તળાજા તાલુકા કક્ષાનો માર્ચ – ૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૩/૨૦૨૬
(મંગળવાર) ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાના
અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૫/૦૩/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં
આવેલ છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે
મામલતદારશ્રી, તળાજા ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક
બાબતો સિવાયની અરજી સ્વીકારવામાં આવશે તેમજ અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી
રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ તળાજા મામલતદારશ્રી ની યાદીમાં જણાવેલ છે.

Related Posts