રાષ્ટ્રીય

તમિલનાડુના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈ ટૂંક સમયમાં પદ છોડશે

આવનાર ટૂંક સમયમાં કે. અન્નામલાઈ તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું પદ છોડશે. કે.અન્નામલાઈએ જણાવ્યું હતું કે, ‘ભાજપમાં પદ માટે નેતાઓ પ્રતિસ્પર્ધા નથી કરતા. અમે સૌ સાથે મળીને આગામી પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરીશું. હું પદની રેસમાં નથી.‘ અન્નામલાઈએ વધુમાં કહ્યું છે કે હું ઇચ્છું છું કે પક્ષનું ભવિષ્ય ઉજ્જવળ હોય, પક્ષના વિકાસ માટે અનેક લોકોએ પોતાના જીવ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટી અને છૈંછડ્ઢસ્દ્ભ વચ્ચે ફરી ગઠબંધન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. એવામાં અન્નામલાઈને હટાવીને અન્ય કોઈ નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં ભારતીય જનતા પાર્ટી અને છૈંછડ્ઢસ્દ્ભ વચ્ચે ગઠબંધન તૂટી ગયું હતું. ગઠબંધન તૂટવા પાછળ ઘણા લોકો અન્નામલાઈને જવાબદાર ઠેરવ્યા હતા.

Related Posts