શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ આજરોજ માસના પ્રથમ શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિ માં ૩૪૦માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૬૦ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૧૦ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગરની આંખની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ અને જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી . ૩૪૦ માં વિના મૂલ્યે મહા નેત્રયજ્ઞનું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી , સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુકુળના સંત શુકદેવજી સ્વામી તથા વીરનગર હોસ્પિટલના ડોક્ટર સાથે કરવામાં આવેલ.
નેત્રકેમ્પના યજમાન પદે ઑસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા દેવજી રામજી પટેલ હસ્તે મોમ્બાસાના શામજી ભગત તથા સાવરકુંડલાના ભાગવત કથાકાર શ્રી જોશીદાદાની પ્રેરણા દ્વારા રાખવામાં આવેલ . નેત્રયજ્ઞને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી નાં વડપણ હેઠળ ગુરુકુળના સંત શુકદેવજી સ્વામી સાથે સંસ્થાના કર્મચારીઓએ જેહમત ઉઠાવી હતી, અને આવનાર તમામ દર્દી નારાયણને ચા તથા દશેરાની મીઠાઈ સાથે નાસ્તો આપવામાં આવેલ હતો.


















Recent Comments