રાજસ્થાનના જયપુરમાં સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -૩માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે.
આ મામલે નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની નિંદા કરી હતી. આ સાથે તેમણે જયપુર પોલીસ કમિશનરને આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ‘અસામાજિક તત્ત્વો દ્વારા આવી હરકત શ્રદ્ધાળુઓની મજાક છે, જેને સહન કરવામાં આવશે નહીં.‘
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારે માર્ચ, ૨૦૨૩માં વીર તેજાજી કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ય સમાજની સ્થિતિનો અભ્યાસ કરીને પછાતપણું દૂર કરવા માટે સૂચનો આપવાનો છે. જ્યારે વીર તેજાજીની મૂર્તિ તોડવા મામલે તંત્રએ ખાતરી આપી છે કે, આરોપીને જલ્દીથી ઝડપી પાડવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. અત્યારસુધીમાં આ મામલે કોઈને ધરપકડ કરાઈ નથી. કયા કારણોસર ઘટના ઘટી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
જયપુરના સાંગાનેર વિસ્તારમાં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જાેવા

Recent Comments