અમરેલી

સાવરકુંડલા ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજરોજ AICC  તથા PCC નાં નિરીક્ષકઓ દ્વારા કોંગ્રેસ ને મજબુત કરવા માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવેલ

સાવરકુંડલા ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજરોજ AICC  તથા PCC નાં નિરીક્ષકઓ દ્વારા કોંગ્રેસ ને મજબુત કરવા માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવેલ…….

=============================================================

આજ રોજ સાવરકુંડલા –લીલીયા વિધાનસભા મતવિસ્તાર સાવરકુંડલા ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજરોજ AICC  તથા PCC નાં નિરીક્ષકઓ દ્વારા બેઠક બોલાવવામાં આવેલ હતી મિટિંગ ચાલુ કરતા પહેલા જમ્મુ કશ્મીર માં થયેલ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને આત્માને શાંતિ માટે બે મિનિટ શ્રધાંજલિ આપી હતી બાદમાં મિટિંગ ચાલુ કરી હતી જેમાં AICC નિરક્ષક શ્રી જગદીશ જાગીડજી, ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ ભરવાડ, ગાયત્રીબા વાઘેલા,કલ્પનાબેન મકવાણા, તથા અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તાર નાં તમામ ફ્રન્ટ નાં આગેવાનો કાર્યકર્તાઓ ની હાજરી માં ચંદ્રેશ ભાઈ રવાણી, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા,હસુભાઈ સૂચક, કનુભાઈ ડોડીયા, નરેશભાઈ દેવાણી, ખોડાભાઈ માળવીય, દાનુભાઈ ખુમાણ, ભરતભાઈ ગીડા, હાર્દિકભાઈ કાનાણી, કિરીટભાઈ દવે, હસુભાઈ બગડા, રમેશભાઈ ગોહિલ, અશોકભાઈ ખુમાણ,ગોરધનભાઈ રાદડિયા, જગાભાઈ દેથલીયા,નસીરભાઈ ચૌહાણ, ઇકબલભાઈ ગોરી, વિપુલભાઈ ઉનાવા, જશુભાઈ ખુમાણ,મહેશભાઈ જયાણી તેમજ તમામ આગેવાન તેમજ કાર્યકતા ઓ હાજર રહ્યાં હતા અને કોંગ્રેસ પાર્ટી ને આગામી દિવસો માં મજબુત કેવી રીતે કરી શકાય તે માટે રાહુલજી એ જે દિશાચૂસન કરવામાં આવેલ તે મુજબ AICC તથા PCC નાં નિરીક્ષકઓ દ્વારા સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તાર સાવરકુંડલા ખાતે મળેલ સંગઠન સૂજન અભિયાન માં સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં કોંગ્રસ પક્ષ નાં તમામ ફ્રન્ટ નાં આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી નાં સંગઠન ને મજબુત કરવા પોત પોતાના સૂચનો વ્યક્ત કરવામાં આવેલ હતા .આમ આજ રોજ સાવરકુંડલા –લીલીયા વિધાનસભા મતવિસ્તાર સાવરકુંડલા ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજ્વવામાં આવેલ હતી.

Related Posts