કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લાઓ ક્રાંતિકારી પરિવર્તનના સાક્ષી બનશે કારણ કે અનેક વિકાસ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે.
શિમલામાં પત્રકારોને સંબોધતા, કેન્દ્રીય સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે લાહૌલ અને સ્પીતિ અને કિન્નૌર જિલ્લાઓની તેમની મુલાકાત દરમિયાન ?૮૫ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી રિજિજુ આજે (શુક્રવાર) કિન્નૌર અને બીજા દિવસે લાહૌલ અને સ્પીતિ જિલ્લાની મુલાકાત લેશે. તેમણે ઉમેર્યું કે હિમાચલ પ્રદેશ દેશનું એકમાત્ર રાજ્ય છે જેને આટલા મોટા પ્રોજેક્ટ્સ મળ્યા છે.
સરકાર સરહદી વિસ્તારોમાં મજબૂત માળખાગત સુવિધાઓ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને વર્તમાન સરકારની પહેલથી, સરહદી વિસ્તારોનો વિકાસ હવે ચીનને સમકક્ષ થઈ રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું અને નિર્દેશ કર્યો હતો કે ૨૦૧૩ માં, તત્કાલીન સંરક્ષણ પ્રધાન એ કે એન્ટનીએ કહ્યું હતું કે સરહદી વિસ્તારોનો વિકાસ થશે નહીં.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ લાહૌલ અને સ્પીતિના કાઝા ખાતે ?૭૩.૭૭ કરોડના હાઇ એલ્ટિટ્યુડ તાલીમ કેન્દ્રનો શિલાન્યાસ કરશે.
આ તાલીમ કેન્દ્રમાં આઈસ હોકી, શિયાળુ રમતો, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ જેવી સુવિધાઓ હશે, જે સ્થાનિક યુવાનોને શિયાળા દરમિયાન જ્યારે વિસ્તાર બંધ હોય ત્યારે કૌશલ્ય વિકાસની સાથે રમતોમાં જાેડાવાની તક આપશે, એમ તેમણે ઉમેર્યું.
રિજિજુ ?૪.૮૯ કરોડના ઇન્ડોર સ્ટેડિયમનો શિલાન્યાસ પણ કરશે જે પીઓ ખાતે ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને અન્ય રમતો જેવી સુવિધાઓ પૂરી પાડશે, કિન્નૌરના ગ્યાબાંગ ખાતે ?૪.૭૯ કરોડના ગ્રીન ગ્રાસ ટર્ફ ગ્રાઉન્ડ અને કાઝા ખાતે ?૧.૪૮ કરોડના ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મધ્ય અને નીચલા પહાડી વિસ્તારો માટે વધુ યોજનાઓ છે જેની તેઓ બીજા તબક્કામાં જાહેરાત કરશે.
રિજિજુએ કહ્યું કે તેઓ ૬ જુલાઈએ દલાઈ લામાને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ફરીથી ધર્મશાળાની મુલાકાત લેશે.
હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લાઓ ક્રાંતિકારી પરિવર્તનના સાક્ષી બનશે: કેન્દ્રીય મંત્રી રિજિજુ

Recent Comments