ગુજરાત

હિંમતનગર-શામળાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં કરુણ મોત, 3 ઈજાગ્રસ્ત

હિંમતનગર-શામળાજી હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતા અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત અંગે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક કાર બેકાબૂ થઈને ડિવાઈડરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગનું પતરું કારમાં ઘૂસી ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું. પતરું કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. 

અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

Related Posts