અમરેલી

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું કેન્દ્રીય બજેટ: અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

દેશના યશસ્વી તથા પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન જી દ્વારા રજુ કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2025-26 ના કેન્દ્રીય બજેટને આવકારતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિ (GYAN) આધારિત વિકાસને વધુ ગતિ આપવા આ બજેટમાં ચાર પાવર એન્જિન – કૃષિ, MSME, ઈન્વેસ્ટમેન્ટ અને એક્સ્પોર્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું જણાવી, ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના નિર્ધાર સાથે ‘વિકસિત ભારત’નો મંત્ર સાકાર કરનારું #ViksitBharatBudget2025 રજૂ કરવા બદલ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજી ને અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય બજેટમાં દેશના કરોડો નોકરિયાત અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપીને વાર્ષિક ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન આવે તે માટેની જાહેરાત બદલ માનનીય વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં શ્રી સુરેશ પાનસુરીયાએ જણાવ્યું કે,
ખેડૂતોના સર્વાંગીણ વિકાસ માટે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત,MSMEs માટે ક્રેડિટ ગેરંટી ₹5 કરોડથી વધારી ₹10 કરોડ કરાશે,
લારી-ફેરિયાવાળાઓને મળશે વધુ રકમની લોન,કેન્સરની સારવાર બનશે વધુ સરળ,વર્ષમાં ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન લગાવીને કેન્દ્ર સરકાર દ્વારા પોતાની ₹1 લાખ કરોડની આવક નોકરિયાત વર્ગ અને મધ્યમવર્ગીય લોકોને સમર્પિત કરવાનો નિર્ણય સામાન્ય નાગરિક માટે બહુ મોટી ભેટ છે.

Related Posts