ગુજરાત

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસેતા. ૨૯ અને ૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાતમેંદરડા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં આપશે હાજરી

૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૨૯ માર્ચ ૨૦૨૫, શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે મેંદરડા ખાતે યોજાનાર ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. સેવા સેતુ કાર્યક્રમ બાદ તેઓ મેંદરડા
ખાતે શોરૂમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
શનિવાર બપોરે તેઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જનાર છે. જેમાં બપોરે ૩ વાગ્યેસમઢીયાળા ગંગેડી આશ્રમ ખાતે દર્શન કરશે. ત્યારબાદ તેઓ બપોરે ૩:૩૦ વાગ્યે ખોરસા ખાતે આવેલ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરશે. બપોરે ૦૪:૦૦ વાગ્યે સોનલ ધામ, મઢડા ખાતે
મુલાકાત લઇ દર્શન કરશે.સાંજે ૫ વાગ્યે તેઓ મંત્રીશ્રી માર્કેટિંગ યાર્ડ, વંથલી ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે. વંથલી ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ જુનાગઢ ખાતે શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે જ્યાં જુનાગઢ મહાનગરના
કોર્પોરેટરો સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે.
તા. ૩૦ માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ તેઓ સવારે ૭ વાગ્યે સ્થાનીકો સાથે ‘Sundayon Cycle’ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી તેઓ ઉપલેટા ખાતેઆવેલ ‘ગોરસ’ સાંસદ કાર્યાલય, ઉપલેટા, રાજકોટ ખાતે નવા રાજકોટની વિવિધ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે.

Related Posts