બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવેલ. શશીકાંત ભાઈ દોશી મુંબઈ ની પ્રેરણા થી હંસાબેન જયંતિભાઈ મહેતા વાપી અને જમના બેન કાકુભાઈ રાયચુરા પરીવાર નવસારી ના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦ બહેનો ને સુખડી વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ કેળવણી મંદીર બગસરા સંસ્થા ના ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન શાહ,નીરૂબેન વૈશ્વિવ, ભારતીબેન ધાંધિયા અને જયશ્રીબેન સાવલિયા એ સૌ બહેનો ને જરૂરી માર્ગદર્શન આપેલ. આ બહેનો ના કુખે કુપોષત બાળક ન જન્મે એ સમજ સાથે છેલ્લા ત્રણ વર્ષથી અવિરત આ સેવા કાર્ય ચાલી રહ્યું છે, જેમાં વિવિધ દાતાઓનો સહકાર મળી રહ્યો છે પરીણામે એક સત્કાર્ય ની જ્યોત અવિરત ઉજાશ પાથરી રહી છે તેમ મહેન્દ્ર પાથર અને દેવચંદભાઈ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર સંસ્થા દ્વારા જણાવ્યું હતું
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ

Recent Comments