અમરેલીમાં આગામી શનિવારે ‘રમેશમય સાંજ’ કાર્યક્રમ યોજાશે

ગુજરાત સાહિત્યમાં લોકપ્રિય સર્જક કવિ રમેશ પારેખનાં જન્મદિને શનિવારે બપોરે 3-30 કલાકે ગુરૂવર્ય નવલકાંત જોષી સ્મૃતિ મંદિર, સુખનિવાસ કોલોની રોડ, ગણેશ સોસાયટી ખાતે ભભરમેશમય સાંજભભ કાર્યક્રમ અંતર્ગત કવિ સ્મરણ, સર્જકતા અને કાવ્યપાઠનું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમનાં અઘ્યક્ષ સ્થાને મનોહર ત્રિવેદી રહેશે. આ તકે રસીલાબેન પારેખ પણ ઉપસ્થિત રહેશે. કવિ રોહિત જીવાણી, હર્ષદ ચંદારાણા, હરજીવન દાફડા, પારૂલ ખખ્ખર, વિનદો રાવલ, ચિરાગ ભટ્ટ કાવ્યપાઠ કરશે. સંચાલન પરેશ મહેતા કરશે. સાહિત્યપ્રેમીઓને ઉપસ્થિત રહેવા સ્વાતીબેન જોષી, રમાબેન દેસાઈ, સેન મેડમ અને પંકજભાઈ જોષીએ અનુરોધ કરેલ છે.
Recent Comments