ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત હરીન્દ્ર દવેને શબ્દાંજલિ

ગુજરાત સાહિત્ય અકાદમી અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત તા. ૨૮, નવેમ્બર ૨૦૨૧ના રોજ સાંજે ૬.૦૦ કલાકે નવજીવન ટ્રસ્ટ ખાતે સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરીન્દ્ર દવેને શબ્દાંજલિ પાઠવતો કાર્યક્રમ યોજાશે. અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ હરીન્દ્ર દવેની કવિતાનો રસાસ્વાદ કરાવશે. જાણીતા અભિનેતા પ્રશાંત બારોટ, નૈષધ પુરાણી, કમલ જોશી, સેજલ પોંદા ઈત્યાદિ કલાકારો નાટ્યમંચન કરશે. ડૉ. ફાલ્ગુની શશાંક હરીન્દ્ર દવેનાં ગીતોને સ્વર આપશે.
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા કાર્યક્રમના અધ્યક્ષ હશે. સંચાલન સુપ્રસિદ્ધ શાયર હિતેન આનંદપરા અને સંકલન હરદ્વાર ગોસ્વામી કરશે. પુસ્તકમેળા અંતર્ગત કાર્યક્રમના સ્થળ પર આખો દિવસ હરીન્દ્ર દવેના પુસ્તકોનું પ્રદર્શન થશે. આ કાર્યક્રમમાં પધારવા સાહિત્યરસિકોને જાહેર નિમંત્રણ છે.
Recent Comments