પ્રોફેશનલ ડીરેકટર તરીકે જયોગ્નાબેન ભગતનો સમાવેશ પારદર્શક વહિવટ , કૃષિ – પશુપાલન – કિસાનો માટે કામ કરતી અને રાષ્ટ્રિય સહકારી નેતા- પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નેતૃત્વ ધરાવતી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણતા સાથે સમગ્ર બોર્ડ ને વિધિવત બિન હરિફ જાહેર કરવામાં આવતા સમગ્ર જીલ્લા સહિત સહકારી ક્ષેત્રે આનંદ છવાયો છે . તાજેતરમાં જ સમગ્ર દેશમાં એક સાથે ચારલાખ પરિજનોને વિમા કવચથી સુરક્ષીત કરવાના ક્રાંતિકારી નિર્ણય બેંક દ્વારા લેવામાં આવેલ . અભિનંદનપાત્ર બનેલ બોર્ડમાં પ્રોફેશ્નલ ડીરેકટર તરીકે મહિલા અગ્રણી – ધારાશાસ્ત્રી સુશ્રી જયોત્નાબહેન ભગત નો સમાવેશ કરવામાં આવતા મહિલા સમુદાયમાં ખુશી વ્યાપી હોવાનું કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયેલ છે .
રાષ્ટ્રિય સહકારી – ખેડૂત નેતા દિલીપ સંઘાણીના નેતૃત્વમાં જીલ્લા બેંકની વિધિવત ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ સમગ્ર બોર્ડ બિન હરિફ અભિનંદન વર્ષા

Recent Comments