અમરેલી

લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, તા.૨૧મી મેના રોજ યોજાશે : તા.૧૫ મે સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ મે,  ૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.

તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૫ મે, ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવી.

અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts