અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે રાજ્યના અગ્રગણ્ય એકમો માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ધો.૧૦ પાસ, ધો.૧૨, આઈ.ટી.આઈ. તમામ, સ્નાતક, ડિપ્લોમા, કોલેજ ડ્રોપઆઉટ ઉમેદવારો, આઇ.ટી.આઇ. મિકેનિક સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૧૩ મે, ૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે અમરેલી લાઠી રોડ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ખાતે કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments