ગુજરાત

એએમસીએ ઘરના ઘર ફોર્મ ભરવાની મુદ્દત ૧૫ જૂન સુધી લંબાવી

એએમસીએ અમદાવાદ શહેરના ઘરવિહોણા શહેરી ગરીબો માટે ઘરના ઘર બનાવવાની યોજના જાહેરાત કરી હતી અને અરજદારોને ફોર્મ વિતરણ શરૂ કરાયું હતું પણ કોરોના સંક્રમણના કેસ વધતા અરજીઓ ઓનલાઈન સ્વિકારવાનું શરૂ કરાયું હતું. તા. ૩૧મી મે ૨૦૨૧ના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતી હતી પણ મ્યુનિ.એ આજે ફોર્મ ભરવાની મુદત તા. ૧૫મી જૂન સુધી લંબાવી દીધી છે. અરજદારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે અરજદારો પાસે ફોર્મ છે તેઓ ઝોનલ કચેરીએ ફોર્મ જમા કરાવી શકશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ઘરવિહોણા પરિવારોનું ઘરનું ઘર કરવાનું સપનું પૂર્ણ થાય તે માટે એકસાથે ૨૦ હજાર મકાન બાંધવાની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિ.એ શહેરી ગરીબો માટે ઇડબલ્યુએસ કેટેગરીના ૧૫,૩૪૭ મકાન બાંધવાનું આયોજન છે તો બીજી તરફ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એલઆઇજી કેટેગરીના ૨૫૦૧ મકાન બાંધવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પહેલીવાર પૂર્વ વિસ્તારના ૧૮ પ્લોટમાં ૧૦ હજારથી વધુ ઇડબલ્યુએસ કેટેગરીના મકાન બાંધવામાં આવશે

જયારે પશ્ચિમ વિસ્તારના ૬ પ્લોટમાં ૪ હજારથી વધુ મકાન બાંધવામાં આવશે. આ સ્કીમમાં ૨૮ ચો. મી. કારપેટ એરિયાના આવાસ તૈયાર કરાશે. ૬ લાખની કિંમતના મકાનમાં ૩ લાખ સબસીડી અપાશે. ૩૦ હજાર રૂપિયા અલગથી મેઇન્ટેનન્સ ડિપોઝીટ ભરવાની રહેશે. આ અંગે અરજદારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કોરોનાના કારણે ફોર્મ ભરવાની મુદત વધારી તા. ૧૫ જૂન કરી દેવાઈ છે. કરાશે.

Related Posts