કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાણીવાળી કોંગ્રેસ સરકાર દ્વારા કર્ણાટક પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, ૧૯૯૯ માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. ટેન્ડરની મહત્તમ સીમા ૨ કરોડ રૂપિયા આપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બદલાવનું બિલ વિધાનસભામાં આ બજેટ સત્રમાં જ લાવવામાં આવશે. વિધાનસભામાંથી પસાર થયા બાદ કર્ણાટકના સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ૪ ટકા અનામત આપવાનો રસ્તો સાફ થઈ જશે.
જાે કે, આ પહેલાં ૭ માર્ચે કર્ણાટક સરકારનું બજેટ રજૂકરતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પુષ્ટિ કરી હતી કે, સાર્વજનિક નિર્માણ કાર્યોના કોન્ટ્રાક્ટમાં ચાર ટકા હવે મુસ્લિમો માટે શ્રેણી-ૈંૈં બી હેઠળ અનામત રાખવામાં આવશે.
કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ ર્નિણય બાદ ભાજપ દ્વારા આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટક કેબિનેટના આ ર્નિણયની ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દરેક સ્તર પર તુષ્ટિકરણના રાજકારણને અપનાવ્યું છે. જે લોકો બંધારણની વાત કરે છે, તે આંબેડકરની વિરૂદ્ધ જઈને ધર્મના આધારે આરક્ષણ આપી રહ્યાં છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે, સક્ષમ કોન્ટ્રાક્ટર પૂલ બનાવશે પરંતુ, હવે લોકોને એવું જાેવું પડશે કે, આ પૂલ કયાં ધર્મના વ્યક્તિએ બનાવ્યો છે. આ કોંગ્રેસની મુસ્લિમ લીગ-જિન્ના માનસિકતા દર્શાવે છે. હવે શું કોન્ટ્રાક્ટ પણ ધર્મના આધારે આપવામાં આવશે?
આ મામલે ભાજપ નેતા રવિશંકરે કહ્યું કે, કોંગ્રેસની કર્ણાટક સરકારે પોતાના બજેટમાં સાર્વજનિક રૂપે જાહેરાત કરી કે, સરકારી ટેન્ડરોમાં ૪ ટકા મુસ્લિમોની અનામત હશે. અત્યાર સુધી આપણે નોકરીઓમાં અનામત વિશે સાંભળ્યું છે, હવે તે મુસ્લિમો માટે સરકારી ટેન્ડર અનામત કરી રહ્યાં છે. આ તુષ્ટીકરણની પરાકાષ્ઠા છે.
Recent Comments