રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગઈકાલે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં ૩ વ્યક્તિના મોત થયું હતું. આ સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. જૂનાગઢમાં દાંડીયારાસ રમતા ૨૪ વર્ષીય યુવાનનું કરૂણ મોત થયું છે. નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. આ યુવકનું નામ ચિરાગ પરમાર છે. ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાનનું ગરબા રમતા મૃત્યુ થયું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ ચિરાગ પરમારનું મોત થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
જૂનાગઢમાં દાંડીયારાસ રમતા ૨૪ વર્ષીય યુવાનનું કરૂણ મોતઅચાનક હાર્ટએટેક આવતાં યુવાન જમીન પર ઢળી પડ્યો

Recent Comments